Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Home Remedies - ગરમીમાં લૂ થી કેવી રીતે બચશો ?

Advertiesment
हमें फॉलो करें summer
ઉનાળાની ગરમીમાં ગળુ સુકાય જાય છે. આ ઋતુમાં લૂ લાગવાની શકયતા વધી જાય છે. માટે આ ઋતુમાં સાવધાની જરૂરી છે. દિવસના સમયે ખાલી પેટ બહાર ન નિકળતા. ઘરેથી નીકળતા પહેલા થોડુ કઇંક ખાઇને પાણીથી પેટ ભરેલું હોવું જોઇએ. શરીરમાં પાણીની કમી ન થવા દો.

શકય હોય તો ઘરેથી પાણી લઇ નીકળો. થોડાક સમયના અંતરે પાણી પીતા રહો. આ ઋતુમાં ઘરેલુ ઉપચાર
ફાયદાકારક હોય છે.


લૂ લાગી તો શું કરીએ.

પહેલા તો લૂ થી બચવાની દરેક શકય કોશિશ કરવી જોઇએ. જો લૂ લાગી જાય તો કાચા કેરીના શરબતનું સેવન કરવું જોઈએ. આ લૂ માં રામબાણ ઈલાજ છે.

આ સિવાય કાચા કેરીનો લેપ બનાવી પગના તળે માલિશ કરવી જોઇએ. હળવું ભોજન કરો. જો તાપમાં નીકળવાની મજબૂરી હોય તો છત્રી લઇને નીકળો.

શકય હોય તો સફેદ કપડા પહેરીને જ બહાર નીકળો આથી ગરમી ઓછી લાગશે. પાણી કે જ્યુસ પીને જ ઘરેથી નીકળો

ધ્યાન રાખો કે પેટ ખાલી ના હોય ગરમીમાં ડુંગળીનું સેવન કરો. ગરમીમાં કાચી ડુંગળીનું સેવન જરૂર કરવુ જોઈએ. ડુંગળીને ખિસ્સામાં રાખવાથી પણ ફાયદો થાય છે.

ડાયેરિયામાં ડુંગળીનો રસ લાભકારી હોય છે.

આ ઋતુમાં કેવો ખોરાક લેવો જોઈએ - જેઠ અને આષાઢ મહીનામાં સુપાચ્ય અને હળવું ભોજન કરવુ જોઈએ. માંસ, માછલી અને મદિરાથી પરહેજ કરવું જોઈએ. ફળોનું સેવન ખૂબ જ કરવું જોઈએ

જેમ કે તરબુચ કાકડી ખીરાનું સેવન કરવુ જોઈએ. ફળોનો રસ આરોગ્યપ્રદ અને ફાયદેકારી સિદ્ધ થાય છે. તરલ પદાર્થનુ સેવન વધારે કરવુ જોઇએ .સત્તૂનું સેવન કરી શકાય. સત્તૂના સેવનથી તરસ વધારે લાગે છે. ગ્લૂકોઝ ઘરમાં ના હોય તો ગોળ ખાઇ લો. ઓઆરએસનુ મિશ્રણ ઘરમાં ના હોય તો ચિંતા ન કરશો એક ગ્લાસ પાણીમાં એક ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખી મિશ્રણ તૈયાર કરી શકાય.

Share this Story:

Follow Webdunia Hindi

अगला लेख

પુરૂષોની આ વાતો મહિલાઓને કરે છે Impress