નાઇજીરિયામાં હુમલો, 43 ખેતમજૂરોની ગળું કાપીને હત્યા

Webdunia
सोमवार, 30 नवंबर 2020 (10:36 IST)
પાછલા અમુક મહિનાઓનો આ ક્ષેત્રનો આ સૌથી ખરાબ હુમલો ગણાઈ રહ્યો છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં બોકો હરામ અને પશ્ચિમી આફ્રિકા ઇસ્લામિક સ્ટેટનાં ઉગ્રવાદી સંગઠનો સક્રિય હોવાનું મનાય છે. આ હુમલાની હજુ સુધી કોઈએ જવાબદારી સ્વીકારી નથી.
 
નાઇજીરિયાના પ્રમુખ મુહમ્મદુ બુહારીએ કહ્યું કે, "બોર્નોમાં અમારા પરિશ્રમી ખેડૂતોની હત્યાના કૃત્યને હું વખોડું છું. આ સંવેદનાહિન કતલેઆમને કારણે આપણો દેશ વ્યથિત છે. આ હુમલાઓમાં જીવ ગુમાવનારા સાથે હું સંવેદના વ્યક્ત કરું છું. તેમના આત્માને શાંતિ મળે."
 
રાષ્ટ્રપ્રમુખના પ્રવક્તા ગર્બા શેહુના જણાવ્યાનુસાર રાષ્ટ્રપતિ બુહારીએ આ "હુમલાને પાગલ કૃત્ય ગણાવ્યું છે."
 
સ્થાનિક સૈનિક જેમણે હુમલામાં બચનારાઓને મદદ કરી તેમણે AFP ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, "અમને ઘટના સ્થળેથી 43 લોકોના મૃતદેહ મળ્યા છે. બધાની હત્યા કરાઈ હતી. ઘટનામાં છ લોકો ગંભીરપણે ઘાયલ પણ થયા છે."
 
હુમલો ક્યાં કરાયો?
 
ઘણા ખેતમજૂરોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યાનુસાર તેમાં દસ મહિલાઓ પણ સામેલ છે. અન્ય એક સૈનિકે AFPને જણાવ્યું કે, "હુમલામાં જીવ ગુમાવનાર તમામ ઉત્તર-પશ્ચિમી રાજ્ય સોકોટોના નિવાસી હતા. તેઓ પોતાનાં ઘરોથી એક હજાર કિલોમિટર દૂર ઉત્તર-પૂર્વ નાઇજીરિયામાં કામ કરવા માટે આવ્યા હતા."
 
બોર્નો રાજ્યના ગવર્નર બાબાગાના ઝુલુમ પણ મૃતકોની અંતિમ વિધિ દરમિયાન હાજર રહ્યા હતા.
 
તેમણે પત્રકારોને કહ્યું કે, "પોતાનાં ખેતરોમાં કામ કરી રહેલા 40 કરતાં વધુ મજૂરોને હત્યાનું કૃત્ય ખૂબ જ દુ:ખદ છે."
 
"અમારા લોકો ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં છે, તેઓ બે આંત્યંતિક પરિસ્થિતિમાં છે. એક તરફ જો તેઓ ઘરે રહેશે તો તેઓ ભૂખના કારણે મરી જશે અને બીજી તરફ જો તેઓ ખેતરોમાં કામ કરવા માટે જશે તો હુમલાખોરોના નિશાન પર આવી જશે. આ ખૂબ જ દુ:ખની વાત છે."
 
Show comments

जरूर पढ़ें

stampede : बेंगलुरु में भगदड़ की घटना में 11 की मौत, PM मोदी ने जताया दुख, खरगे बोले- हादसा दुर्भाग्यपूर्ण

क्या आपका 500 रुपए का नोट नकली तो नहीं? इस तरह पहचानें Fake currency

Stampede : चिन्नास्वामी स्टेडियम में अंदर RCB का जश्न, बाहर लोगों की भगदड़, फोटो खिंचवाने में लगे थे कांग्रेस नेता, BJP ने लगाया आरोप

यादव के बेटे तेज प्रताप के 'जयचंद' जिक्र का क्या है मतलब, जानें क्यों गद्दारों को कहा जाता है 'जयचंद'

राहुल गांधी का लंगड़े घोड़े वाला बयान कमलनाथ, दिग्विजय की सियासत से रिटायरमेंट का संकेत?

सभी देखें

नवीनतम

पंजाब में मादक पदार्थ के खिलाफ अभियान, अब तक 15500 तस्कर गिरफ्तार, 9087 FIR दर्ज

Bengaluru Stampede : 11 लोगों की मौत का जिम्मेदार कौन? CM सिद्धारमैया ने कहा- 35000 की क्षमता, इकट्ठा हो गए 2-3 लाख लोग, चश्मदीद ने बताया कैसे मची भगदड़

Weather Update : असम में बाढ़ की स्थिति गंभीर, 6 लाख से ज्‍यादा लोग प्रभावित, मृतकों की संख्या पहुंची 19

राजस्थान : IPL मैचों पर सट्टा लगाने वाले गिरोह का भंडाफोड़, 10 लाख से ज्‍यादा नकदी बरामद, 3 आरोपी गिरफ्तार

150 पाकिस्तानी संपर्क, ज्योति मल्होत्रा से कनेक्शन, ऐसी है पाक जासूस जसबीर की कहानी

अगला लेख