24 માર્ચથી 7 જાન્યુઆરી સુધી રાજ્યમાં માસ્ક નહીં પહેરવાનો પોલીસે 126 કરોડ દંડ વસૂલ્યો, અમદાવાદીઓએ 27.61 કરોડ દંડ ભર્યો

Webdunia
शुक्रवार, 8 जनवरी 2021 (10:32 IST)
શહેરમાં પોલીસ દ્વારા 24 માર્ચ 2020થી 7 જાન્યુઆરી 2021 સુધી અમદાવાદ પોલીસ દ્વારા માસ્ક વગરના ચાર લાખથી વધુ લોકો પાસેથી રૂપિયા 27.61 કરોડનો દંડ પોલીસે વસૂલ્યો છે. જ્યારે જાહેરનામા ભંગમાં 42થી વધુ કેસ કરવામાં આવ્યા છે. જે પૈકી 51 હજાર 367 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં પોલીસે ગત માર્ચથી અત્યાર સુધીમાં માસ્ક ન પહેરનાર 4 લાખ 5 હજાર 996 શહેરીજનો સામે કેસ કર્યો છે. જ્યારે તેમની પાસેથી પોલીસે રૂ.27.61 કરોડના દંડની વસૂલાત કરી છે. શહેરમાં જાહેરનામા ભંગના 42 હજાર 299 કેસ પોલીસ ચોંપડે નોંધાયા છે. જેમાં 51 હજાર 367 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. રાત્રી કરફ્યૂ તેમજ ટ્રાફિક નિયમ ભંગ કરતા 70 હજાર 478 વાહનો પોલીસે ડિટેઇન કર્યા છે. વાહનચાલકો પાસેથી 21.84  કરોડના દંડની વસૂલાત કરી છે. રાજ્ય પોલીસ દ્વારા કોરોના સંક્રમણ અંગેના નિયમોનો ચુસ્તપણે અમલ કરાવવા પોલીસને માસ્કનો દંડ વસૂલવા ટાર્ગેટ સોંપ્યો છે. ગુજરાતમાંથી કોરોનાકાળથી અત્યારસુધીમાં રૂ.126 કરોડથી વધુનો દંડ પોલીસે વસૂલ્યો છે. જ્યારે બે લાખ કરતાં વધુ વાહનો પોલીસે ડિટેઇન કર્યા છે. રાજ્યમાંથી છેલ્લા એક અઠવાડિયામાં જાહેરનામા ભંગના કુલ-3 હજાર 239 ગુના નોંધ્યા છે. જ્યારેં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થૂંકવા બદલ 84 હજાર 155 વ્યકિતઓ પાસે રૂ.8.38 કરોડનો દંડ વસૂલ કરાયો છે. કરફ્યૂ ભંગ બદલ 6 હજાર વાહનો જપ્ત કર્યા છે. જ્યારે જાહેરનામા ભંગ બદલ કુલ 6 હજાર 301 વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી હતી.

Show comments

जरूर पढ़ें

क्या नीतीश कुमार को बिहार का एकनाथ शिंदे बनाना चाहती है भाजपा?

ओडिशा आत्मदाह केस में प्रोफेसर समीर साहू ने छात्रा से कहा था—तुम बच्ची नहीं हो, समझो मैं क्या चाहता हूं

निमिषा प्रिया की फांसी, क्‍या ब्‍लड मनी के लिए राजी हुआ परिवार?

Odisha : शराबी ऑटो चालक ने हथौड़ा मारकर की माता-पिता की हत्या, रातभर रहा शवों के पास

राजा हरि सिंह पर खान सर की टिप्पणी से छिड़ा विवाद, जानिए कश्मीर के भारत में विलय की पूरी कहानी

सभी देखें

नवीनतम

Maharashtra politics : क्या महाराष्ट्र में होने वाला है बड़ा खेला, फडणवीस और उद्धव ठाकरे की मुलाकात के सियासी मायने

भोपाल में एमपी नगर में धंसी सड़क, 10 फीट का गड्डा, पटवारी ने कसा तंज

भारत में कितनी तेजी से बढ़ रही किस धर्म की आबादी? क्या भविष्य में अल्पसंख्यक बन जाएंगे बहुसंख्यक!

बहला-फुसलाकर और लालच देकर धर्म परिवर्तन कराने पर क्या है सजा? जानें कानून और BNS का प्रावधान

आयुष्मान कार्ड की लिमिट कब और कैसे होती है रिन्यू, जानिए पूरा प्रोसेस और जरूरी बातें

अगला लेख